જય સ્વામિનારાયણ 🙏
દિવ્ય દક્ષિણ ભારત યાત્રા.
સત્સંગી યાત્રા રાજકોટ દ્વારા આ યાત્રા આયોજિત થાય છે.
આઠ દિવસની યાત્રામાં મદુરાઇ મીનાક્ષી માતા રામાનુજ આચાર્યજી પાર્થિવ દેહ દર્શન, શ્રી રામેશ્વરધામ જ્યોતિર્લિંગ, કન્યાકુમારી, ખજાનાવાળું શ્રી પદ્મનાભસ્વામી મંદિર સહિત અનેક તીર્થસ્થાનો છે. આખા અઠવાડિયા નો ભરચક્ક કાર્યક્રમ છે.
સવારનો નાસ્તો 🍛☕બપોરનું ભોજન 🍱અને રાત્રિનું ભોજન 🍱એમ ત્રણેય ટાઈમની વ્યવસ્થા.
🙋🏻♂️ એક મેનેજર આઠ દિવસ તમારી સાથે રહે છે.
નાનામોટા અનેક મંદિરોના દર્શન અને આરતી ના લાભ , ત્રણ ટાઈમ ભોજન, રહેવાની વ્યવસ્થા, ફરવા માટે વાહન અને અનુભવી માર્ગદર્શન બીજુ શું જોઈએ.
આ વખતે રહી ન જતાં....
આ મેસેજ, પોતાના માતા-પિતા, સાસુ-સસરા કે વડીલોને યાત્રા કરાવા માંગતા, કમાતા મિત્રો સુધી જરૂર મોકલજો. ભૂલી ના જતા..
ભગવાન દર્શનનો હુકમ કોકને કરશે, આને આંગળી ચિંધ્યાનુ પુણ્ય તમને થશે.
સત્સંગી યાત્રા ની ઓફિસ રાજકોટ માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ની બાજુમાં જ આવેલી છે, ત્યાં રૂબરૂ માં પણ આ યાત્રા ના ફોર્મ ભરાય છે. Online પેમેન્ટ અને આંગડિયા પેઢી દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે.
આ યાત્રા માં આપણે પ્લેન માં તો જાશું જ પરંતુ રેલવે માં ટિકિટ લેવાની હોવાથી અને સીઝન હોવાથી જેટલું બને તેટલું ઝડપથી ફોર્મ મેળવી નામ લખાવી દેવા નમ્ર વિનંતી છે.
ખરેખર મદુરાઇ મીનાક્ષી માતા, શ્રીરંગનાથજી, રામેશ્વર દાદા આપણને સહુ ને વ્હાલા છે, કન્યાકુમારી મંદિરમાં આજે પણ તપ નું તેજ અનુભવી શકાય છે, ભગવાન પદ્મનાભ સમગ્ર વિશ્વનું પોષણ કરનારા છે,, આ એક એક ગામ એક એક ધામ છે... સત્સંગી યાત્રા ના આયોજનમાં જોડાઈ ને દર્શન કરી લેવા જોઈએ. આ યાત્રા સેહલી નથી પણ આનાથી સેહલિ રીતે નથી થઈ શકતી. તો અત્યારે ફોન કરી સત્સંગી યાત્રા ની ઓફિસે વાત કરી નામ લખાવાની વિધિ, કેટલા કટકે પેમેન્ટ થાય અને વધારાની વિગતો મેળવી લ્યો. આ રહ્યો નમ્બર.
અમારા રોજિંદા ટૂરના અપડેટ્સ કે સૂચના સ્ટેટસ પર મેળવી શકો છો, તે માટે નીચે મુજબનો નંબર સેવ કરી લો.. 👇🏻👇🏻👇🏻
9408101120
DATES
દક્ષિણ ભારત યાત્રાની આગામી તારીખો નીચે મુજબ છે.
24/06/2025 - BOOKING LAST ROUND ✅
22/07/2025 - BOOKING OPEN (તારીખ 22 જૂન સુધી 1000 ડિસ્કાઉન્ટ )
29/07/2025 - BOOKING OPEN (તારીખ 29 જૂન સુધી 1000 ડિસ્કાઉન્ટ)
26/08/2025 - BOOKING OPEN (તારીખ 26 જૂન સુધી 2000 ડિસ્કાઉન્ટ)
TIME TABLE
OTHER INFORMATION ABOUT TOUR
PRICE
દક્ષિણ ભારત યાત્રા ના ટિકિટ દર :-
31,800/- 60 દિવસ પહેલા
32,800/- 60 થી 30 દિવસની વચ્ચે
33,800/- 30 દિવસથી ઓછા
8 કે તેથી વધુ નું ગ્રુપ હોય તો પ્રતિ યાત્રિક 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
બુકિંગ સમયે ભરવાની રકમ
15,800/- બાકી ની રકમ યાત્રા ઉપડવાની તારીખ કરતા 30 દિવસ બાકી રહે ત્યાં સુધીમાં ભરી શકો છો.
જો યાત્રા ઉપડવાને 30 દિવસ થી ઓછો સમય હોય તો પૂરું પેમેન્ટ ભરી ને જ નામ લખાવવું.
સીટની ઉપલબ્ધતા માટે તથા ગ્રુપ બુકિંગ માટે 9408 10 11 20 સાથે વાત કરો.
આ મેસેજ, પોતાના માતા-પિતા, સાસુ-સસરા કે વડીલોને યાત્રા કરાવા માંગતા, કમાતા મિત્રો સુધી જરૂર મોકલજો. ભૂલી ના જતા..
ભગવાન દર્શનનો હુકમ કોકને કરશે, ને આંગળી ચિંધ્યાનુ પુણ્ય તમને થશે.
CHILD TICKTES
દક્ષિણ ભારત યાત્રા માં બાળકોની ટિકિટના દર :-
24 મહિના સુધીના બાળકો
2700/- પ્રતિ ફ્લાઈટ. ( આયોજન માં ડાયરેક્ટ કે સ્ટોપ વાળી જેટલી ફ્લાઈટ હોય તેટલી વાર )
[No extra thali, No extra seat, No extra bed]
24 મહિના થી 144 મહિના (2 વર્ષ થી 12 વર્ષ) સુધીના બાળકો
ટુરની ફુલ ટિકિટ ના 75% રકમ.
(એક્સ્ટ્રા મેટ્રેસ બેડ, એક્સ્ટ્રા સીટ,એક્સ્ટ્રા થાળી સહિત )
PHOTOS (PLACES IN THIS ROUTE)
TOUR ARRANGEMENTS
અમદાવાદ થી ચેન્નાઈ સુધી ફ્લાઈટમાં જવાનું હોય છે.
(યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)
એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને મળી રહેશે. એટલે જે યાત્રિકો પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા હોય તેમને કોઈ મૂંઝવણ ન થાય.
વળતા ત્રિવેન્દ્રમ થી રાજકોટ સુધીનો સફર ટ્રેન દ્વારા હોય છે.
(નોંધ:- યાત્રા દરમ્યાન ચેન્નાઈ થી ત્રિચી આવવા માટે ટ્રેનની મુસાફરી રાખેલ છે ચેન્નાઈ ફફ્ત ટ્રાન્સ્પોર્ટેશન માટે છે પ્લેન માંથી ટ્રેન માં ચેન્જ કરવા માટે છે )
યાત્રિકો પોતાની અનુકૂળતા મુજબ ટ્રેનની સ્લીપર ટિકિટને બદલે ઉપલબ્ધ હોય તો AC3 કે AC2 કરાવી શકે છે. અથવા રિટર્નની ફ્લાઈટની ટિકિટ પણ કરાવી શકે છે.
એસી માં અપગ્રડે થાય છે પણ તેની વધારા નો ચાર્જ થશે .
યાત્રિકોને ફરવા માટે એસી ટેમ્પો ટ્રાવેલર ની વ્યવસ્થા હોય છે.
હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા.
યાત્રિકોને બે વ્યક્તિ વચ્ચે એસી રૂમ આપવામા આવે છે.
(મોટાભાગે અમારી કંપની મંદિર ની નજીક હોય તેવી જગ્યાએ હોટલની વ્યવસ્થા કરતી હોય છે. જેથી જો યાત્રિકોને મંદિરની ભીડ ને કારણે દર્શન ન થાય તો તે બીજી વાર પોતાની રીતે જઈ શકે)
સવારનો ચા-નાસ્તો, બપોરનું અને રાત્રિનું એમ ત્રણેય ટાઈમની વ્યવસ્થા હોય છે.
યાત્રા દરમ્યાન મોટાભાગના દિવસોમાં ગુજરાતી ભોજન હોય છે.
2-3 દિવસ સ્થાનિક ભોજન અથવા નોર્થ ઇન્ડિયન ભોજન રાખેલ હોય છે.
એક ગુજરાતી મેનેજર પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તમારી સાથે રહે છે. જેથી બીજા રાજ્યની ભાષામાં અને વ્યવસ્થામાં તમને અગવડતા ન રહે.
CONTACT US
RAJKOT BRANCH
"RAMPRATAP"
GEETANGAR MAIN ROAD,
NEAR SHRI SWAMINARAYAN GURUKUL,
RAJKOT-360002
Mo.- 9408860362
OFFICE- 9408101120
AHMEDABAD BRANCH
204
SHAILABH APPARTMENT,
OPP. SANJIVANI HOSPITAL,
VASTRAPUR,
AHMEDABAD-380054
Mo.- 9428885000
OFFICE- 9408686628
CUSTOMER REVIEW
યાત્રિકો દ્વારા લિધેલા મૂળ ફોટો
આમાથી કોઈ પણ ફોટો ઈન્ટરનેટ માથી લિધેલા નથી
26-11-2024
21-01-2025
11-03-2025
22-04-2025